Wednesday, July 7, 2010

"અંધકાર ક્યાંય ટળતાં નથી"



ક્ષીતીજ તો કલ્પના છે, ધરા ગગનતો ક્યાંય મળતાં નથી,
મંઝીલ સામે છે નહી, રસ્તા પણ ક્યાંય વળતાં નથી.

વહી-વહીને અશ્રુઓ, નદિમાં ભળી જાય રે,
નદિ ભળે છે દરિયામાં, પણ દરિયા ક્યાંય ભળતાં નથી.

આવે છે કહેવા એ મને, વિચારોને બાળી દો,
બળી જાય જો હોય કાષ્ઠવન, સરોવર ક્યાંય બળતા નથી.

આશા શું રાખવી પ્રકાશની, શોભાના સિતારાઓ પાસે "ચિત",
ક્ષણ માટે વીજળી ચમકી જાય, અંધકાર ક્યાંય ટળતાં નથી.

"ચિંતન ટેલર"

1 comment:

  1. wooow nice one.
    વહી-વહીને અશ્રુઓ, નદિમાં ભળી જાય રે,
    નદિ ભળે છે દરિયામાં, પણ દરિયા ક્યાંય ભળતાં નથી.


    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    * * *

    ReplyDelete