Thursday, September 1, 2011

"બીજી જિંદગી ન મળે તોય શું?"



મન મુજબની જિંદગી મળે તોય શું?
પાનખરમા પાન લીલું મળે તોય શું?

નશીબ-રેખા આગળ માનવીનું ચાલે શું?
પછી ત્યાં હાથ હોય કે ન હોય તોય શું?

કબર પર રોજ ફૂલો ધરાવીને ફાયદો શું?
એમાથી શ્વાશ સંભળાતો હોય તોય શું?

જીવે તો નળતા રહે, મરે તો મળતા નથી,
એવું કહેનારા ખુદ ઘરમાં જ મળે તોય શું?

જેટલું પણ જીવો ઉત્સવ મનાવતા જીવો "ચિત"
જિંદગી જીવવા બીજી જિંદગી ન મળે તોય શું?

"ચિંતન ટેલર"