Wednesday, July 21, 2010

"કરશે ત્યાં શું અજવાળાં"



શાંત સરોવર જીવન મારું નાખી ના દેતા પાણાં,
અથડાઈ કિનારે તુટી જાશે પાણીના કુંડાળા.

માંગ્યા વગર સઘળું મળે, ઈચ્છા કરો કદી ના ફળે,
પસંદ છો નિકટ આવતા નહી વધી ના જાય ગાળાં.

એકલતાની આદત છે, એકલો જ ચાલ્યા કરું,
સાથ આપી સુવાસો સુધી બનીના જાતા અજાણ.

કહે છે રોશની કરી દેશે એ મારગમાં અમારા,
પણ પલકો જ જ્યાં ખુલતી નથી "ચિત" કરશે ત્યાં શું અજવાળાં.

"ચિંતન ટેલર"

1 comment:

  1. kem be akho divas ughiya kare chhe??????to
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete